માણસ ને પોતાના જીવનમાં ત્રણ – ચાર થી વધારે મિત્રો હોઇ શકે નહિ. પણ હા… તાળી મિત્રોનો કોઇ તોટો ન હોઇ શકે. પરંતુ કપરા સંજોગોમાં દુ:ખની સ્થિતિમાં જે સાથ આપે તે જ સાચા મિત્રો કહેવાય. મિત્ર એવા હોય જે કોઇ પણ સ્થિતિમાં સાથે જ રહે. એક ગુજરાતી કવિએ કહ્યુ છે. “શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક જેને દુ:ખમાં પામીયે તે લાખોમાં એક”. તે પણ એક લાખોમાં મળે તો મળે ન પણ મળે. પોતાના માટે નહિ, બીજા ને માટે મથે. બીજા ને મદદરૂપ થાય. પોતે ઘસાય ને બીજા ને અજવાળે આવો મિત્ર કયારેક જ મળે છે. “ઋગ્વેદ” માં પણ એજ વાત કરી છે. “ન સ સખા યો નદદાતિ સખ્યે” એટલે કે “જે સાથીને સાથ આપતો નથી તે મિત્ર હોતો નથી”. સુખ ના સમયમાં તો ઘણા મિત્રો મળે છે. પરંતુ દુ:ખમાં તેમાથી એક પણ જોવા મળતો નથી. તેને મિત્ર ન કહિ શકાય. ‘રામયણ’ માં પણ વાલ્મીકી એ કહ્યુ છે “મિત્ર દુ:ખમાં હોય કે સુખમાં, તે પોતાના મિત્ર ને સદાય સહાય કરે છે”. એ સહાય માત્ર આર્થિક હોય એવું પણ નથી. મિત્રની બધી જ સ્થિતિમાં સાથ આપે તેને સાચો મિત્ર કહેવાય.
સમસ્ત સ્થાવર જંગમનો આત્મા ચરાચરનો આધાર હોઇને, ઋષિઓએ મિત્રને સુર્ય એવુ નામ આપ્યુ છે. એ રીતે જોઇએ તો પણ મિત્ર એ સુર્ય જેવો જ હોય છે. મિત્ર પોતાના મિત્રના જીવનમાં જો અંધકાર ફેકાઇ જાય તો એને દુર કરી ને પ્રકાશ પાથરે છે. તેથી જ તો તે નામનો અર્થ્ સારથક બને છે. આમ તો આપણે જાણીએ છીએ કે, સર્વોતમ મૈત્રીનો દાખલો કૃષ્ણ – સુદામાનો છે. તેથી જ તો આપણે જ્યારે કોઇ પુછે કે મિત્ર કેવો હોવો જોઇએ ત્યારે આપણે કહિયે છીએ કે કૃષ્ણ જેવો. કારણ કે મિત્ર મિત્ર વચ્ચે કોઇ ભેદ ન હોઇ શકે તે જ સાચા અર્થમાં મિત્ર બની શકે. બન્નેની વચ્ચે ઐકય સંધાય, જુદાયનો નાશ થાય. એ જે છે તે હુ જ છુ. હુ છુ એ એજ છે. એવો આત્માનો ભાવ હોય એ જ મૈત્રી છે. ‘વાલ્મીકી’ એ ‘રામાયણ’ માં કહ્યુ છે કે, “ગરીબ હોય કે તવંગર, દુ:ખમાં હોય કે સુખમાં હોય કે પછે ભલે ને દોષિત હોય. (જેવો હોય તેવો), મિત્ર એ જ પરમ ગતિ છે. એ જ ગતિ મિત્રની પરમ ગતિ પણ બને છે અને અધોગતિ પણ”. સાચો મિત્ર પીઠ પાછળ ઘા ન કરે, એ મિત્ર કયારેય પણ વિશ્વાસઘાત ન કરી શકે.
તમે જો કયારેય પણ જો આ કાવ્ય સાંભળ્યુ હોય તો, “પાછળ પ્રવાસ માં ઘણા મિત્રો હતા, પણ કોણે કર્યો ઘાવ મને ખબર નથી”. એવા કહેવાતા મિત્રોની તો લંગાર લાગી શકે છે. ભુલ થી પણ તમે સારા ઠેકાણા પર કે સારા હોદા પર હોવ તો, મિત્રોના ટોળેટોળા જામતા હોય છે. પણ તમે એકદમ ઉઘાડા હોવ, કોઇ આધાર ન હોઇ તો કોઇ સામે પણ ન જુએ. પોતાના સ્વાર્થ્ ખાતર જે ગમે તે કરવા તૈયાર થાય એ મિત્રના રૂપમાં એક મહાન શત્રુ હોઇ શકે. વેદવ્યાસે ‘મહાભારત’ માં ‘ઉધોગપર્વ’ માં જણાવ્યુ છે કે “પિતા જેટલો જેના પર વિશ્વાસ કરી શકાય તે જ સાચો મિત્ર હોઇ શકે બાકી બધા તો માત્ર સાથી જ હોઇ છે”. જેના પર કયારેય પણ વિશ્વાસ થઇ જ ન શકે. અરે!!! કોઇ સંજોગોમાં કોઇ પશ્ન ઉભો થાય. છતાંય કોઇની આગળ એક પણ શબ્દ પણ ન બોલે તેને મિત્ર કહેવાય. વેદવ્યાસે ‘રામાયણ’ ના ‘વનપર્વ’ માં કહે છે “સહયાત્રીઓનો સમુહ અથવા તો સાથે યાત્રા કરવા વાળા સાથી જ પ્રવાસી નો મિત્ર છે. પત્ની ગૃહસ્થની મિત્ર છે. વૈદ રોગી નોમિત્ર છે અને દાની મરતાં માણસનો મિત્ર છે”. જેના દ્રારા માણસ મુકિત, આનંદ કે ઉંમગ માણી શકે છે. ઘણા એવા લોકો હોય છે કે જેનો બીજા જોડે કોઇ પરીચય પણ ન હોઇ પણ સંબંધ બાધ્યા પછી તે સંબંધ ને સાચવે કપરામાં કપરા સમયે સાથ આપે છતાંય પણ તે સાચા મિત્ર છે એવી કયાંય પણ ડંફાશો ન મારે. કેટલાક તો એવા હોય છે કે પુરેપુરું નામ પણ ના જાણતા હોઇ છતાં પણ મિત્રતા નિભાવે છે.રામાયણના ‘ઉધોગપર્વ’ માં જ ‘વેદવ્યાસે’ કહ્યુ છે “પહેંલા કોઇ જ સંબંધ ન હોય પણ જે મિત્રતાનો વ્યવહાર કરે એ જ ભાઇ – બહેન, એ જ મિત્ર, એ જ સહારો એ જ આશ્રય છે”.
મિત્ર ગમે તે હોઇ શકે તેના કોઇ નાત કે જાત હોતા નથી. તેમં કોઇ અમીર કે ગરીબ હોતા નથી તેમાં કોઇ છોકરો કે છોકરી હોતા નથી. તેમાં કોઇ સુખી કે દુ:ખી હોતા નથી. મિત્ર એટલે કે ગમે તેવા સમયમાં પોતાના મિત્રનો સાથ આપે. તેનાથી બનતી બઘી જ મદદ કરે. ડુબતા માણસ ને હાથ પકડી ને બહાર ખેંચી લાવે તે મિત્ર છે. મિત્ર કયારેય પણ પોતાના મિત્રની બુરાઇ ન કરે અને તેને બીજા કોઇ ની સામે નીચો દેખાડવાની કોશીષ કયારેય પણ ન કરે. બીજા પાસે હમેંશા તેમનો હાથ ઉંચો રાખે. જે કંઇ પણ તેમની નબળાઇ હોય તે તેમને કોઇ એક જ્ગ્યાએ એંકાંતમાં કહે. તેમની પીઠ પાછળ પણ તેમના વખાણ કરે એ જ સૈથી મોટો મિત્ર છે. ભલે ને બધાનો વિનાશ થાય કોઇ વખતે તેમના મિત્ર થી જો કંઇ પણ ખરાબ થયુ હોઇ તો તેમને માફ કરીને તેમને પ્રેરણાં આપે એ જ એક સાચો મિત્ર હોઇ શકે.
‘મહાભારત’ માં ‘દ્રોણપર્વ’ માં કહેવાયું છે કે “સૈન્યનો નાશ થઇ જાય છતાંય, જો સાથ આપે એ જ મિત્ર છે. જ્યાં કોઇ અપેક્ષા ના હોઇ, આશા ન હોઇ છતાંય સાથ-સહકાર આપતો હોય, ખડા પગે હાજરા – હજુર રહે એ તો મિત્રતા છે”.
‘ભતૃઁહરિ’ એ ‘નીતિશતક’ માં દશાઁવ્યુ છે કે, “મિત્ર કેવો હોવો જોઇએ. મિત્ર ની ફરજ કંઇ હોય છે. મિત્ર એ શુ કરવું જોઇએ. તેમને એ કહ્યુ છે કે, સાચા મિત્ર નુ એ લક્ષણ છે કે તે મિત્ર ને પાપમાથી રોકે છે. હિતકારી કાર્યોમાં લગાવે છે. એની ખાનગી વાતો છુપાવે છે. એના ગુણોને પ્રગટ કરે છે. તેને દરેક કાર્યોમાં પ્રેરણા આપે છે. વિપતકાળમાં તેનો સાથ છોડતો નથી અને સમય આવ્યે દરેક કાર્યમાં તેમની મદદ કરે છે. જો મિત્ર ભુલ કરતો હોય ખોટા માર્ગે આગળ વઘતો હોય તો મિત્ર તેને બચાવે છે. કડવી છતાં સાચી વાત કહે અને અધોગતીમાં હોયતો તેને પાછો લાવે છે”. મિત્ર મિત્ર ની બધી જ વાતો જાણતો હોય છે. પણ કયારેય તેનો દુરઉપયોગ કરતો નથી અને મિત્રની દુખતી નસ ને પકડી ને દબાવતો નથી. મિત્ર જો ધારે તો છીન્નભીન્ન કરી શકે છે. સમાજમાં તેમને હલકો પાડી શકે છે. પણ જો કોઇ આવુ કરે તો તેને મિત્ર કહેવાય કે પછી…..
મિત્ર તો હમેંશા મિત્રનુ ભલું ઇચ્છતો હોય છે. પોતાના એકાદ નાનકડા સ્વાર્થ ખાતર એ પોતાના મિત્ર નું અહિંત કરવા માટે ત્યાર થાય તો પછી એ મિત્ર શાનો??? મિત્ર તો હમેંશા પોતાના મિત્રની આબરુ ધાકવાનો પ્રયત્ન કરે છે. તેને સાચી દિશા બતાવે છે. ‘અશ્વઘોષે’ “બુધ્ધિચરીત” માં કહ્યુ છે કે, “મિત્રના ત્રણ લક્ષણ છે” અને તે ત્રણ લક્ષણો આ પ્રમાણે છે.
• અહિંત થી રોકવું
• હિતમાં જોડાવું
• વિપતીમાં સાથ આપવો.
એ જો તે ન કરી શકે તો તે મિત્ર કહેવાને લાયક જ નથી. તેના કરતા તો દુશ્મન પણ સારો કે તેની સાથે આખરે આપણે સાવધાનીપુર્વક વર્તી તો શકીએ. જે સાથે રહિને પગ કાપવા આગળ વધતો હોય છતાં પણ મિત્ર હોવાનો ડોળ કરતો હોય – એવી વ્યકતી ને કેવી કહેવાય………
‘બાણભટે’ “કાંદમ્બરી” ના પૂર્વભાગમાં કહ્યુ છે કે, “એક મિત્ર જો ખોટા રસ્તે જતો હોય તો તે જોઇને બીજા મિત્રએ તેમને રોકવો જોઇએ આ મિત્રની ફરજ થઇ પણ જો તે મિત્ર હોવા ના દાવે તેમને બીજા ખોટા રસ્તે ધકેલતો હોય તો માનવું કે મિત્ર જ નથી”. જયારે હું ૧૫ વર્ષ નો હતો ત્યારે મેં જોયેલ એક ‘ભાસ’ ના “અભિષેક નાટક” માં આવા મિત્ર માટે એકદમ સચોટ રીતે કહ્યુ છે કે હે “રાજા!!! જે ન કરવા જેવા વિષયોમાં ડુબતા મિત્રને ઉગારે છે એ જ મિત્ર છે અન્યથા તે એક શત્રુથી પણ કંઇક વિશેષ છે”.
આપણએ આપણા મિત્રની કયાંરેક પરીક્ષા પણ કરવી જોઇએ. હાં તેમાં કંઇ પણ ખોટું નથી ભગવાન શ્રીકૃષ્ણ એ પણ સુદામાની પણ પરીક્ષા લીધી હતી. એ જો તે પરીક્ષામાંથી પાસ થાય તો જ તે આપણો સાચો મિત્ર કહેવાય. ‘કાલિદાસે’ એ વાત ને અનુમોદન આપતાં ‘મેંઘદુત’ માં કહ્યુ છે કે, “નાના માણસો પણ પહેલાના ઉપકાર નુ ધ્યાન રાખી ને મિત્ર જો આશ્રય માટે આવે તો કયારેય પણ મોઢું મચકોડતો નથી. પછી મોટા લોકોનું તો કહેવું જ શું કયારેક મોટા લોકો ખોટા સાબીત થતા હોય છે. જયારે પોતે સંકટમાં હતા ત્યારે નાનો મિત્ર યાદ હોય છે પણ જયારે તે સંકટમાં હોય ત્યારે તે તેમના ઉપકાર નો બદલો ભુલી જાય છે અને પોતાની જાત ને ઉંચી હોવા છતાં પણ કયારેક નીચી આંકી બેસે છે”.
કયારેક એવું બનવાની શકયતા છે કે પોતાનો દિલોજાન દોસ્ત કોઇ કારણે અથવા તો મતભેદ થવાથી છુટો પડે અથવા તો દુર થઇ જાય તો સંજોગોવસાત તે દુશ્મન બની જાય તો એ વધારેમાં વધારે નુકશાન પહોંચાડી શકે છે. પણ જો તે સાચી મિત્રતાની કિંમત જાણતો હોય તો તે ગઇ કાલ ના મિત્રની કોઇ પણ નબળાઇ ને બીજા પાસે ઉઘાડી પાડતો નથી અને પોતે પણ તેની નબળાઇ નો દુર ઉપયોગ કરતો નથી. પણ જો તે તેનો દુરઉપયોગ કરે તો તે માણસ ની જાતમાં જ ગણાતો નથી. કારણકે તે માણસ જે થાળીમાં ખાધું હોય તે જ થાળીમાં ઠુંકે છે અને પોતાની આત્માં ના અવાજને પણ સાંભળી શક્તો નથી કેમકે તેની પોતાની આત્માં પણ તેમને તે કાર્ય કરવા રોકે છે છતાં પણ તે સાંભળ્યા વિના તે આગળ ડગલું માડેં છે. જે તેમને અધોગતિ ના રસ્તે દોરે છે અને છેલ્લે પસ્તાવાંનો સમય આવે છે.
તો હવે મિત્રો, આટલું જાણયા પછી આપને વિચારવાનું છે. કે તમારે કેવાં મિત્ર બનીને ઇતિહાસમાં નામ નોંધાવું છે. હાં… ઇતિહાસમાં નામ ન નોંધાવો તો કંઇ નહિ પરંતુ એક સાચા મિત્ર બનીને તમારી જાત માટે ગર્વ તો લઇ જ શકો ને!!!! તો હજુ રાહ શેની જોવો છો….. જાવ અને દોસ્તી માટે નવી રાંહ તૈયાર કરો અને હાં……. તે પણ જો ક્યારેય પણ તમે તમારા દોસ્ત થી વિખુટા પડી ગયા હોય તો તે દોસ્ત ને માફ કરી દો અને ફરી થી દોસ્તી માટે નવી મીસાલ તૈયાર કરો.
કારણ કે… દોસ્તી એક એવુ રતન છે જેમની કોંઇ જ કીંમત નથી.
– DIVYESH SANGHANI
very intersting articles…
Good Articles….
Keep It…..
Happy Friendship Day…